fbpx
Saturday, July 27, 2024

IND VS SL: ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની એન્ટ્રીથી આ 3 ખેલાડીઓ પર લટકી તલવાર – જુઓ કોણ રમશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી T20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ લખનૌમાં રમાશે. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાની સંભાવના છે અને ટીમના બે મોટા ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા જઈ રહ્યા છે.

રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટી-20 સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી છે અને તેમની રમત ફિક્સ હોવાનું માનવામાં આવે છે. જાડેજા ઈજાગ્રસ્ત હતો પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. જો જાડેજા ટીમમાં આવશે તો તેની જગ્યાએ એક ખેલાડીને બહાર બેસવું પડશે.

તમને જણાવી દઈએ કે જાડેજાની ગેરહાજરીમાં વેંકટેશ અય્યર, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે અજમાવવામાં આવ્યા હતા અને ત્રણેએ સારું પ્રદર્શન કર્યું હતું. જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી શ્રેણીમાં બે વિશેષજ્ઞ સ્પિનરો પણ રમ્યા હતા, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જાડેજાના આગમનથી ટીમમાં માત્ર એક વિશેષજ્ઞ સ્પિનરને જ રાખવામાં આવી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજાની વાપસી બાદ રવિ બિશ્નોઈને ટીમ છોડવી પડી શકે છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ચહલ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે તેથી બિશ્નોઈને બહાર જવું પડી શકે છે. આ સાથે એક મોટો સવાલ એ પણ છે કે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં કોણ ઓપનિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 મેચમાં રોહિત શર્મા ચોથા નંબર પર ઉતર્યો હતો અને ઈશાન કિશન-ઋતુરાજની જોડી ઓપનિંગ પર ઉતરી હતી. શ્રીલંકા સામે પણ આવું જ જોવા મળી શકે છે અને રોહિત શર્મા નંબર 3 કે 4 પર જોવા મળી શકે છે.

IND vs SL, 1st T20I માટે સંભવિત પ્લેઇંગ XI

રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles